કમ સે કમ આટલું તો થાય,
પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.
પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.
આંગણામાં આવે જો એકાદું પંખી
તો રાખવાનું હોય ખૂબ માનથી,
ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો
ઘટ ઘટ પીવાય સાવ કાનથી;
તો રાખવાનું હોય ખૂબ માનથી,
ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો
ઘટ ઘટ પીવાય સાવ કાનથી;
ખીલે એકાદ પળ કૂંપળ જેમ તો એ કૂંપળને મબલખ જીવાય.
કમ સે કમ આટલું તો થાય…
માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના આ
પડછાયા પૂજવાના કેમ?
કોઈનાય ઘાસ ઉપર ઝાકળનો હાથફેરો
કરવો શું સૂરજની જેમ!
પડછાયા પૂજવાના કેમ?
કોઈનાય ઘાસ ઉપર ઝાકળનો હાથફેરો
કરવો શું સૂરજની જેમ!
ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો અપાય.
કમ સે કમ આટલું તો થાય…
કમ સે કમ આટલું તો થાય…
- અનિલ ચાવડા
આ કવિતાનો વીડિયો પણ જુઓઃ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો